![]()
વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સરકારે ફાળવેલા નવા જનરેટરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં આરોગ્યલક્ષી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવા જનરેટરનું ઉદ્ઘાટન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સુવિધાથી આરોગ્ય કેન્દ્રની સેવાઓમાં સુધારો થશે. આ બેઠકમાં વઢવાણ પ્રાંત અધિકારી મેહુલભાઈ ભરવાડ, વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. જીગ્નેશ એમ. મકવાણા અને રોગી કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.








